
તેમણે તરત ભાવને સ્વીકાર્યો અને દાદાને પ્રેમને વશ થઈ અમારા હૃદયમાં જે કાંઈ ડિઝાઈનો સૂજી તે મુજબ કલાત્મક ડિઝાઈન બનાવી છે. આ મુગટમાં કલગી સાથે બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. અમારો જેવો ભાવ હતો તેવો મુગટ બનાવ્યો હતો. દાદા આ મુગટ ધારણ કરશે ત્યારે હનુમાનજી મહારાજ ખૂબ રાજીપો વ્યક્ત કરશે તેવી ભાવના હતી.

મુંબઈમાં બનેલા સુવર્ણ હીરાજડિત મુગટની વિશેષતામાં 1 કિલો પ્યોર સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રજવાડી કલગીવાળા મુગટમાં બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. બંને પોપટ પર હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. મુગટમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર કરાયું છે. 18 કારીગરોએ 3 મહિનાની મહેનતે મુગટ તૈયાર કર્યો છે. હીરાજડિત મુગટમાં ફૂલ, ઝાડ, કમળની ડિઝાઈન પણ અંકિત કરાઈ છે. મુગટ 1.3 ફૂટ ઊંચો અને 1.6 ફૂટ પહોળો છે. મુગટમાં બે કમળની આકૃતિ અંકિત કરાઈ છે. સુવર્ણ હીરાજડિત કુંડળમાં પણ પોપટની આકૃતિ અંકિત કરાયેલી છે.

મહત્ત્વનું છે કે, દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગીના ફૂલોથી શણગારવામાં આવેલ વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ દ્વારા આરતી-પૂજન-અર્ચન દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન કરાયું હતું. તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.