
પોસ્ટ શેર કરતી વખતે, શોભિતા ધુલીપાલાએ એક કવિતા લખી છે, 'મારી માતા તમારા માટે શું હોઈ શકે? મારા પિતા તમારા માટે કયા સંબંધી છે? અને તમે અને હું કેવી રીતે મળ્યા? પરંતુ પ્રેમમાં આપણું હૃદય લાલ માટી અને મુશળધાર વરસાદ જેવા છે, જે દુ:ખ અને પીડાથી પરે છે.તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્યના પહેલા લગ્ન અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. આ કપલે 2017માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

શોભિતા અને ચૈતન્ય 2022 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેનો એક ફોટો 2023માં ઈન્ટરનેટ પર પહેલીવાર લીક થયો હતો. આ દંપતીએ તેમની સગાઈ પહેલા તેમના સંબંધો વિશે મૌન સેવ્યું હતું. લગભગ બે વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, ચૈતન્ય અને શોભિતાએ આખરે ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ સગાઈ કરીને તેમના સંબંધો પર મહોર મારી દીધી છે.

અભિનેત્રી ફાતિમા સના શેખે પણ કોમેન્ટમાં બંનેને અભિનંદન પાઠવ્યા છે. છેલ્લા ઘણા સમયથી શોભિતા અને ચૈતન્યના ડેટિંગના સમાચારો સામે આવી રહ્યા હતા. બંને ક્યારેક સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ બંને હંમેશા આ સમાચારોને નકારતા જોવા મળ્યા હતા. પરંતુ હવે સગાઈ પછી તેઓએ બધાની સામે તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.
Published On - 9:52 am, Sat, 10 August 24