ISROના નિવૃત વૈજ્ઞાનિકે લગ્નના પાંચ દાયકા પછી ફરી પત્ની સાથે જ કર્યા લગ્ન, જાણો કેમ

ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે 76 વર્ષની વયે ફરીથી પોતાની જ પત્ની સાથે લગ્ન કર્યા છે. નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા. નાથાભાઈ વાઢેર 2007માં ISROના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં સીનીયર વૈજ્ઞાનીક તરીકેની ફરજ બજાવ્યા બાદ પોતે નિવૃત્ત થઈ અમદાવાદ રહે છે.

| Edited By: | Updated on: Dec 11, 2023 | 2:43 PM
1 / 5
ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે  76 વર્ષની વયે ફરીથી પોતાની જ પત્ની સાથે લગ્ન કર્યા છે. નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા.

ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે 76 વર્ષની વયે ફરીથી પોતાની જ પત્ની સાથે લગ્ન કર્યા છે. નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા.

2 / 5
નાથાભાઈ વાઢેર 2007માં ISROના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં સીનીયર વૈજ્ઞાનીક તરીકેની ફરજ બજાવ્યા બાદ પોતે નિવૃત્ત થઈ અમદાવાદ રહે છે.તેમનો એકનો એક પુત્ર વીપૂલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા અમદાવાદમાં રહે છે.

નાથાભાઈ વાઢેર 2007માં ISROના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં સીનીયર વૈજ્ઞાનીક તરીકેની ફરજ બજાવ્યા બાદ પોતે નિવૃત્ત થઈ અમદાવાદ રહે છે.તેમનો એકનો એક પુત્ર વીપૂલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા અમદાવાદમાં રહે છે.

3 / 5
બંને ભાઈ બહેને પોતાના માતા-પિતાના 50મી એનિવર્સરી પ્રસંગે ફરી મા બાપને પરણાવવાનો સંકલ્પ કર્યો. આસંકલ્પ ગીર જંગલની ગોદમાં પૂરો થતાં સ્નેહીજનો ખુશખુશાલ હતા.

બંને ભાઈ બહેને પોતાના માતા-પિતાના 50મી એનિવર્સરી પ્રસંગે ફરી મા બાપને પરણાવવાનો સંકલ્પ કર્યો. આસંકલ્પ ગીર જંગલની ગોદમાં પૂરો થતાં સ્નેહીજનો ખુશખુશાલ હતા.

4 / 5
લગ્નની 50મી એનિવર્સરીએ નાથાભાઇના પુત્ર-પુત્રી સહિત પરિવારજનોએ તેમને ફરી રંગે ચંગે પરણાવ્યા હતા. અમદાવાદ સહિત ગુજરાતની અનેક હોટલો રીસોર્ટ આ પ્રસંગ માટે તપાસી પરંતુ મૂળ ગ્રામ્ય જીવનનો આ પરિવાર અંતે ગીરમાં આવેલ હિરણવેલ ગામ નજીક કુદરતના ખોળા સમો દક્ષ રિસોર્ટ પસંદ કર્યો.રિસોર્ટમાં ગામઠી પરંપરાને સાથે શણગારેલા બળદ ગાડાઓમાં વર કન્યાની જાન નીકળી હતી.

લગ્નની 50મી એનિવર્સરીએ નાથાભાઇના પુત્ર-પુત્રી સહિત પરિવારજનોએ તેમને ફરી રંગે ચંગે પરણાવ્યા હતા. અમદાવાદ સહિત ગુજરાતની અનેક હોટલો રીસોર્ટ આ પ્રસંગ માટે તપાસી પરંતુ મૂળ ગ્રામ્ય જીવનનો આ પરિવાર અંતે ગીરમાં આવેલ હિરણવેલ ગામ નજીક કુદરતના ખોળા સમો દક્ષ રિસોર્ટ પસંદ કર્યો.રિસોર્ટમાં ગામઠી પરંપરાને સાથે શણગારેલા બળદ ગાડાઓમાં વર કન્યાની જાન નીકળી હતી.

5 / 5
સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નમાં ભારે માત્રામાં આ ઉત્સવમાં જોડાયા હતા, ત્યારે નાથાભાઈ અને નીર્ળામળાબેને પોતાના વહાલસોયા સંતાનો એવા પુત્ર વિપુલ અને પુત્રી નેહાના આ પ્રેમ સભર આયોજનને ખૂબ જ ગદગદ સ્વરે અને આનંદના આંસુઓ સાથે આનંદ માણ્યો હતો.

સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નમાં ભારે માત્રામાં આ ઉત્સવમાં જોડાયા હતા, ત્યારે નાથાભાઈ અને નીર્ળામળાબેને પોતાના વહાલસોયા સંતાનો એવા પુત્ર વિપુલ અને પુત્રી નેહાના આ પ્રેમ સભર આયોજનને ખૂબ જ ગદગદ સ્વરે અને આનંદના આંસુઓ સાથે આનંદ માણ્યો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.