
RBIની નાણાકીય નીતિએ ફેબ્રુઆરીની બેઠકમાં ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. RBIના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં મોંઘવારી 5.4 ટકા રહી શકે છે. RBI એમપીસી પછી RBI ગવર્નરે કહ્યું હતું કે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો હજુ પણ ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં મોંઘવારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે.

સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું હતું કે તે 31 માર્ચે પૂરા થતા વર્તમાન ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. જો આપણે આગામી નાણાકીય વર્ષ પર નજર કરીએ તો RBIના અનુમાન મુજબ ફુગાવાનો દર પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહી શકે છે.
Published On - 6:56 pm, Mon, 12 February 24