વડતાલધામમાં રવિસભાનો ‘અમૃત મહોત્સવ’ અને 6000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાયો, જુઓ Photos

વડતાલધામમાં યુવાનોમાં અતિશય લોકપ્રિય થઈ રહેલી રવિસભાનો “અમૃત મહોત્સવ” ઉજવાયો હતો. આ પ્રસંગે 6 ટન દ્રાક્ષના અન્નકૂટ માટે દ્રાક્ષ વેચાતી લેવામાં આવી નથી પરંતુ નાસિક રહીને શિક્ષણ- આરોગ્ય અને સત્સંગ સમાજ સેવામાં ભેખધારી વયોવૃદ્ધ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીમાંથી મોકલી છે.

| Edited By: | Updated on: Apr 09, 2023 | 8:20 PM
4 / 5
સત્સંગ અને સમાજ જીવનની ઉપયોગી વાતોના કારણે સભા વધુને વધુ સત્સંગીઓમાં લોકપ્રિય થઈ છે. અમૃત રવિસભાના યજમાનપદે અક્ષરવાસી નારાયણભાઈનો કચ્છી પરિવાર નડિયાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

સત્સંગ અને સમાજ જીવનની ઉપયોગી વાતોના કારણે સભા વધુને વધુ સત્સંગીઓમાં લોકપ્રિય થઈ છે. અમૃત રવિસભાના યજમાનપદે અક્ષરવાસી નારાયણભાઈનો કચ્છી પરિવાર નડિયાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા. ઘરસભાના પ્રસિદ્ધ વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ વડતાલની સેવા પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપલનું વિતરણ કરાશે.

સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા. ઘરસભાના પ્રસિદ્ધ વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ વડતાલની સેવા પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપલનું વિતરણ કરાશે.