
રથયાત્રા દરમિયાન ખુદ જગતના નાથ લોકોને દર્શન આપવા માટે નીકળે છે. ભગવાન જ્યારે સામે ચાલીને ભક્તો પાસે આવતા હોય ત્યારે દરેક લોકોની એવી મનોકામના હોય છે કે તેમને રથને દોરવાનુ સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય.

પુરીમાં દર વર્ષે લાખો લોકો આ રથયાત્રામાં જોડાય છે અને અચુક એકવાર ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો મળે તેવો પ્રયાસ કરે છે. પુરાણોમાં પણ ભગવાનનો રથ ખેંચવાથી 100 જન્મોના પાપમાંથી મુક્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે.

હિંદુ માન્યતા અનુસાર જે કોઈપણ વ્યક્તિ જગતના નાથની આ રથયાત્રામાં સામેલ લઈ રથને ખેંચે છે તેમને 100 યજ્ઞ કરવા જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે. પુરાણોમાં રથયાત્રાનું પણ અનેરુ મહત્વ વર્ણવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનુ પણ ખાસ મહત્વ છે.