
પાંચ મહિનાના સમયમાં હસ્તકલા નિર્મિત શ્રીરામ અને સીતાજીના સ્વયંવર 24 કેરેટના શુદ્ધ સોનાના રંગથી ચિત્ર તૈયાર કર્યું. ચિત્ર તૈયાર કરવામાં અડધા લાખનો ખર્ચ થયો છે. ચિત્રની સદીઓ સુધી ચમક રહે તે માટે છ ગ્રામ સોનામાંથી સોનેરી રંગ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં ચિત્ર બનાવતી વેળાએ સામાન્ય પાણીનો ઉપયોગ કરવાને બદલે દેશની સાત પવિત્ર નદી ગંગા, જમના, સરસ્વતી, ગોમતી, નર્મદા, કાવેરી અને અન્ય નદીઓના જળ મિશ્રિત કરી અને આ પેન્ટિંગમાં ઉપયોગ કર્યો હતો.

ચિત્ર બનાવવા માટે જાતે જ બારીક તાંતણા વાળી અનોખી પીંછી બનાવી હતી. વિશ્વની સૌથી સૂક્ષ્મ રામાયણ પુસ્તકનું નિર્માણ કરી શિક્ષક નિકુંજભાઈ ચિત્રમાં રામ અને સીતાની મુખમુદ્રામાં ઉલ્લેખિત સ્થિત વર્ણન અનુસાર ભાવ ઉપજાવવાનો પ્રયાસ કર્યો છે.
Published On - 10:49 pm, Tue, 23 January 24