
જટાયુએ રામના ખોળામાં પોતાના પ્રાણની આહુતિ આપી- ગીધ રાજા જટાયુને જોઈને ભગવાન શ્રી રામ તેને પોતાના ખોળામાં લઈ લે છે અને તેના ઘાયલ અવસ્થામાં હોવાનું કારણ પૂછે છે. આ પછી, જટાયુ ભગવાન શ્રી રામને માતા સીતાના અપહરણ વિશે જણાવે છે અને કહે છે કે હે રામ, જાનકીજીને લંકાના રાજા રાવણ દ્વારા હરણ કરી લેવામાં આવ્યું છે,જ્યાયે મે સીતાજીને છોડાવાનો પ્રયત્ન કર્યો, ત્યારે રાવણે મારી પાંખો કાપી નાખી.

આટલું કહીને ગીધ રાજા જટાયુનું શરીર પ્રાણહિન થઈ ગયું. જટાયુએ દેહ છોડ્યા પછી ભગવાન શ્રી રામની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને રામે ગોદાવરીના કિનારે ગીધ રાજા જટાયુના અંતિમ સંસ્કાર કર્યા અને પિંડદાન કર્યું.