
રાખડી: રક્ષાબંધન પર પૂજા થાળીમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ રાખડી હોવી જોઈએ, જેને બહેનો ભાઈને રક્ષાસૂત્રની જેમ બાંધે છે અને સુખાકારીની ઇચ્છા રાખે છે.

દીવો: ભાઈને રાખડી બાંધીને આરતી ઉતારવી જરુરી છે આ માટે પૂજા થાળીમાં દીવો પણ રાખવો જોઈએ. તે ભાઈના જીવનમાં મંગલ કાર્યોનો સંકેત આપે છે તેમજ બહેન ભાઈની આરતી ઉતારે છે તો તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મીઠાઈઓ: તિલક લગાવ્યા પછી અને રાખડી બાંધી આરતી ઉતાર્યા બાદ મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂજા થાળીમાં મીઠાઈઓ રાખવી જોઈએ અને રાખડી બાંધ્યા પછી ભાઈને ખવડાવવી જોઈએ.