Rajkot : ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો, જુઓ તસવીરો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ઓસમ પર્વત આવેલો છે. પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં તળેટીથી લઈ પર્વત આસપાસ હરિયાળી જોવા મળી છે.

| Edited By: | Updated on: Aug 07, 2024 | 4:38 PM
4 / 5
ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, ભીમકુંડ, હીડંબાનો હિચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.

ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, ભીમકુંડ, હીડંબાનો હિચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.

5 / 5
અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળો પણ યોજાય છે. જેમાં લાખો લોકો મેળાની મજા માણવા આવતા હોય છે. અંદાજે 200 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીદિવસીય લોકમેળો ભરાય છે. ગત વર્ષે પણ તા 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા

અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળો પણ યોજાય છે. જેમાં લાખો લોકો મેળાની મજા માણવા આવતા હોય છે. અંદાજે 200 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીદિવસીય લોકમેળો ભરાય છે. ગત વર્ષે પણ તા 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા