
અયોધ્યામાં બની રહેલા રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે ઘણા લોકો કે જેઓ અયોધ્યા માં રામમંદિર સુધી જઈ શકશે નહીં. ત્યારે રાજકોટમાં બે ચિત્રકારો કલર પેન્ટિંગ દ્વારા અયોધ્યા મંદિરની તસવીર તૈયાર કરી છે.

આયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને અત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.અને શહેર અને ગામ માં અલગ અલગ સુશોભન કરવામાં આવી રહ્યા છે.

આ કલર પેઈન્ટીંગ બનાવતા 2 દિવસનો સમય લાગ્યો હતો. પેઈન્ટીંગને અત્યંત બારીકાથી અને ખૂબ ચોક્કસાઈપૂર્વક તૈયાર કરાયુ છે. જેથી શહેરીજનો આ પેઈન્ટીંગના માધ્યમથી સમજી પણ શકશે કે અયોધ્યામાં રામમંદિર કેવું હશે.

આદિત્ય ગ્રુપના વિક્રમભાઈ ઠાકરે કહ્યું કે તેઓ રાજકોટમાં અયોધ્યા મંદિરનું જેવું જ કલર પેન્ટીંગ બનાવશે.જેમાં તે અયોધ્યા રામમંદિરને સંપૂર્ણ રીતે દર્શાવશે.જેથી લોકો જાણી અને સમજી શકે કે આ મંદિરમાં શું-શું છે.

શહેર અને દેશભરમાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ અયોધ્યા રામમંદિર સુધી નહીં પહોંચી શકે. ત્યારે કલર પેઈન્ટીંગ દ્વારા તે અયોધ્યા મંદિર વિશે જાણી શકશે.

અયોધ્યા રામમંદિર સુધી ઘણા લોકો નહીં પહોંચી શકે લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉભા થશે આ રામમંદિર કેવુ હશે આ રામમંદિરમાં કેવી સુવિધા હશે.ત્યાકે આ ચિત્રના માધ્યમથી લોકોને અયોધ્યા રામમંદિર વિશે સંપૂર્ણ માહિતીગાર કરી શકાય.
Published On - 9:40 pm, Wed, 3 January 24