
વડાપ્રધાન મોદીની માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે,ત્યારે માતાના આશીર્વાદ લેવા PM મોદી ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદી આજે પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચશે. જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે.

વડાપ્રધાન મોદીએ તેની માતા હીરાબાની વિશેષ પુજા કરી હતી અને વડાપ્રધાન મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા.

માતા હીરાબાના ચરણ ધોયા,સાથે ભેટમાં લાવેલી શાલ અને માળા પહેરાવ્યા. ત્યારબાદ લાડુ ખવડાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

PM મોદીએ માતા હીરાબાના જન્મદિવસે ભાવુક પોસ્ટ લખી હતી. જેમાં માતા પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ દેખાતી હતી.
Published On - 9:43 am, Sat, 18 June 22