
ડાયાબિટીસના દર્દીઓ માટે કોળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળામાં એન્ટી ડાયાબિટીક ગુણ જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. આથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કોળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોળું એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.

કોળાનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોળામાં વિટામીન સી અને વિટામીન એ જેવા તત્વો જોવા મળતા હોવાથી તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

કોળાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ગેસ અને પેટ ફૂલવું જેવી ફરિયાદો થઈ શકે છે.

જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે કોળાનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધુ ઘટી શકે છે.

ઘણા લોકોને કોળાથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો
Published On - 8:00 am, Tue, 17 October 23