President Draupadi Murmuના પરિવારમાં કોણ કોણ છે? જાણો તેમના પરિવારના સંઘર્ષની કહાણી

|

Jul 21, 2022 | 7:59 PM

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ભારતના 15 રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાજી મારી છે. દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચાલો જાણીએ તેમના પરિવારનો ઈતિહાસ અને તેમના સંઘર્ષની કહાણી.

1 / 5
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.

દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.

2 / 5
દ્રૌપદી મુર્મુનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આદિવાસી પરિવારમાં જન્મ લેવાને કારણે દ્રૌપદી મુર્મુને ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા.

દ્રૌપદી મુર્મુનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આદિવાસી પરિવારમાં જન્મ લેવાને કારણે દ્રૌપદી મુર્મુને ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા.

3 / 5
શ્યામ ચરણ મુર્મુ અને દ્રૌપદી મુર્મુને ત્રણ બાળકો હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતી. પરંતુ મુર્મુ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો જ્યારે મુર્મુના પતિ અને બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. હાલમાં મુર્મુના પરિવારમાં એક પુત્રી છે.

શ્યામ ચરણ મુર્મુ અને દ્રૌપદી મુર્મુને ત્રણ બાળકો હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી હતી. પરંતુ મુર્મુ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો જ્યારે મુર્મુના પતિ અને બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. હાલમાં મુર્મુના પરિવારમાં એક પુત્રી છે.

4 / 5
દ્રૌપદી મુર્મુએ શિક્ષકની નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પુત્રી ઇતિ મુર્મૂને ભણાવી. દીકરીને પણ કોલેજ પછી બેંકમાં નોકરી મળી ગઈ. હવે તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

દ્રૌપદી મુર્મુએ શિક્ષકની નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પુત્રી ઇતિ મુર્મૂને ભણાવી. દીકરીને પણ કોલેજ પછી બેંકમાં નોકરી મળી ગઈ. હવે તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

5 / 5
પતિ અને બે યુવાન પુત્રોને તમારી નજર સમક્ષ મૃત્યુ પામતા જોવું અને તમારામાં વિશ્વાસ રાખવો એ ચોક્કસપણે મોટી વાત છે. પરંતુ આ મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી દ્રૌપદી મુર્મુએ પોતાની સફળ રાજકીય કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું.અને આજે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા છે.

પતિ અને બે યુવાન પુત્રોને તમારી નજર સમક્ષ મૃત્યુ પામતા જોવું અને તમારામાં વિશ્વાસ રાખવો એ ચોક્કસપણે મોટી વાત છે. પરંતુ આ મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી દ્રૌપદી મુર્મુએ પોતાની સફળ રાજકીય કારકિર્દી બનાવવાનું ચાલુ રાખ્યું.અને આજે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા છે.

Next Photo Gallery