
એક કરોડ ત્રીસ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં આપવામાં આવેલ મેટ્રોના વિસ્તરણની આ ભેટ મુંબઈકરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેટ્રોની ખાસિયત એ છે કે તેને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે અલગ કોર્નર બનાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં આપણા શહેરોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વર્ષ 2014 સુધી મુંબઈમાં માત્ર 10-11 કિલોમીટર જ મેટ્રો ચાલતી હતી, પરંતુ આપણી ડબલ એન્જિન સરકારે મેટ્રોના કામને અભૂતપૂર્વ ગતિ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મેટ્રોની 2 નવી લાઈનોનું ઉદ્ઘાટન કર્યા બાદ મેટ્રોમાં મુસાફરી કરી હતી. પ્રવાસ દરમિયાન તેમને યુવાનો સાથે વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે અંધેરીથી દહિસર સુધીના 35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું નિર્માણ લગભગ 12,600 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.