TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Jul 23, 2022 | 7:06 PM
સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ ચાલી રહ્યો છે. આ સમારોહમાં વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર છે. કોવિંદને વિદાય પત્ર, સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. (ANI)
રાષ્ટ્રપતિ કાર્યાલયમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ તેમની સાથે મંચ પર દેખાયા હતા. (ANI)
ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા. આ પહેલા વડા પ્રધાને તેમને વિદાય ભોજન સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. (ANI)
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વચ્ચે છે અને એક તરફ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને બીજી તરફ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને તેમની પાછળ વડાપ્રધાન મોદી છે. સેન્ટ્રલ હોલમાં પહોંચતા જ તમામ સાંસદો અને મંત્રીઓ તેમના સન્માનમાં ઉભા થઈ ગયા હતા. (ANI)
રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે હું આજે વિદાય લઈ રહ્યો છું. આપ સૌનો આભાર. જૂની યાદો તાજી થઈ રહી છે. (ANI)