
ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો. પીએમએ ભગવાન સૂર્યની પ્રદક્ષિણા કરી અને તેમને જળ અર્પણ કર્યું. (તસવીર- PTI)

ગર્ભગૃહમાં પીએમ મોદીએ લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી. કાશી વિશ્વનાથ મંદિરમાં ડમરુ વગાડવામાં આવ્યુ કે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. બધે ડમરુનો અવાજ સંભળાઈ રહ્યો છે, લોકો પોતાના ઘરની છત પર ઉભા રહીને અલૌકિક દ્રશ્ય જોઈ રહ્યા છે. (તસવીર- PTI)

અગાઉ શંખનાદ અને હર હર મહાદવેના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાટ પર હાજર લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો, લોકો હાથ હલાવીને વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા હતા. (ફોટો- ANI)

આ પહેલા કાશીના કોટવાલ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી ખિરકિયા ઘાટ પહોંચ્યા હતા. અહીંથી પીએમ લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરશે. પીએમ ક્રુઝ દ્વારા લલિતા ઘાટ જશે. (ફોટો- ANI)

કાલ ભૈરવ મંદિરમાં પૂજા કર્યા પછી, વડા પ્રધાન મોદીએ ત્યાંની શેરીઓમાંથી પસાર થતાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું. કાલ ભૈરવને કાશીના કોટવાલ માનવામાં આવે છે. (ફોટો- ANI)