
ભારતીય વાનગીઓમાં મોટા ભાગે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ આપે છે. ત્યારે તેને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.

કૂંડામાં માટી અને છાણીયું ખાતર મિશ્રણ કરીને ભરો. હળદરનો છોડ કટીંગ અને બીજ બંન્ને પદ્ધતિથી રોપી શકાય છે.

હળદરન ઉગાડવા માટે માટીમાં કાચી હળદરનો એક નાનો ભાગ વાવો. તેમજ હળદરના છોડને નિયમિત પાણી પીવડાવો.

હળદરના છોડને પુરતા પ્રમાણ સૂર્ય પ્રકાશ મળે તેની ખાતરી કરો. છોડની આજુ બાજુ જો ઘાસ ઉગે તો તેનું નિંદણ કરી લો.

હળદરના છોડમાં ફૂલો ઉગશે અને પાંદડા સૂકવા લાગે છે. ત્યારે તમે હળદરને માટીમાંથી કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.