Plant In Pot : પિત્ઝા ટોપિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા બેસિલને ઘરે જ ઉગાડો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

|

Oct 02, 2024 | 2:05 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં બેસિલ કેવી રીતે ઉગાડી શકાય

1 / 5
પિત્ઝા અને પાસ્તામાં બેસિલના પાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેસિલના છોડને ઘરે ઉગાડવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. કેટલીક વાર જો કોઈ ભૂલ થાય તો બેસિલનો છોડ સુકાઈ જાય છે.

પિત્ઝા અને પાસ્તામાં બેસિલના પાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેસિલના છોડને ઘરે ઉગાડવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. કેટલીક વાર જો કોઈ ભૂલ થાય તો બેસિલનો છોડ સુકાઈ જાય છે.

2 / 5
બેસિલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરો ધ્યાન રાખો કે તેમાં પથ્થર કે નાના કાંકરા ના હોય. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

બેસિલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરો ધ્યાન રાખો કે તેમાં પથ્થર કે નાના કાંકરા ના હોય. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે માટીમાં 1 થી 2 ઈંચની ઉંડાઈએ બેસિલના બીજ મુકી તેના પર પાણી નાખી દો. બેસિલના છોડને ઓછામાં ઓછો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. તેમજ છોડમાં નિયમિત પાણી નાખો.

હવે માટીમાં 1 થી 2 ઈંચની ઉંડાઈએ બેસિલના બીજ મુકી તેના પર પાણી નાખી દો. બેસિલના છોડને ઓછામાં ઓછો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. તેમજ છોડમાં નિયમિત પાણી નાખો.

4 / 5
બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

5 / 5
આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix

આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix

Next Photo Gallery