
ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.