TV9 GUJARATI | Edited By: Bipin Prajapati
Aug 30, 2021 | 7:48 AM
સરબેરા ઓડાલમ (Sarbera Udalum) આ ફળ અત્યંત ઝેરી અને ખતરનાક છે. આ ઝેરની અસર સાયનાઇડનાં ઝેર કરતાં પણ વધારે હોય છે.
આ ફળ ભારતમાં દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળે છે અને તે સરબેરીન નામના ઝેરી તત્ત્વથી ભરપૂર હોય છે.
આ જ કારણે તે વિશ્વના સૌથી ઝેરી છોડ અને ફળ તરીકે ઓળખાય છે અને કોબ્રા કરડે એનાં કરતાં પણ તો વધુ જલદ હોય છે.
આ ફળ જરાક પણ ચખાઈ જાય તો ઊલ્ટી, ચક્કર, ડાયરીયાની સાથે હ્રદયની માંસપેશીઓને સંકોચાઈ જવાથી હ્દય ધડકવાનું અનિયમિત કરીને બંધ કરી દે છે. નર્વ સિસ્ટમ પર હુમલો કરે છે જેથી પેરાલીસીસ (લકવો) કરે છે.
આ ફળ ખાવાથી અનેક પ્રકારની બીમારી અને મૃત્યુ પણ થાય છે જેથી આ ફળથી દૂર રહેવું એ એકમાત્ર ઉપાય છે.
આ વૃક્ષ દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે પરંતુ એના ફળથી લોકો આત્મહત્યા પણ કરે છે જેથી આ વૃક્ષ જ્યાં પણ ઊગે છે ત્યાં ચોકી પહેરો રાખવામાં આવે છે જેથી કોઈ અજાણી વ્યક્તિ ભૂલમાં ખાઈ ન લે અને આત્મહત્યા કરનાર જાણી જોઈને ન ખાઈ જાય.