
26 જાન્યુઆરી, 2001ના ગજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2 લાખ 80 હજાર લોકો ઘર વગરના થયા હતા.

11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

તુર્કી મદદ માટે સામે આવ્યુ ભારત, NDRF સહિત મેડિકલ ટીમ પહોચશે તુર્કી