Photos: અમદાવાદના ભાડજમાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતી મહોત્સવની થઇ ઉજવણી

|

May 05, 2023 | 5:23 PM

Ahmedabad News: નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

1 / 5
અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં 4 મેના રોજ નરસિંહ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા.

અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં 4 મેના રોજ નરસિંહ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા.

2 / 5
ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે નરસિંહ યજ્ઞથી થઈ હતી.ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું.

ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે નરસિંહ યજ્ઞથી થઈ હતી.ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું.

3 / 5
ભગવાન લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાન લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.

4 / 5
અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

5 / 5
મહત્વનું છે કે નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

મહત્વનું છે કે નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

Next Photo Gallery