
સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શ્રીજી પંડાલમાં પૂજા કરી અને લોકોના હિત માટે પ્રાર્થના કરી હતી.તેમણે નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા સતર્ક રહેવા જણાવ્યુ હતુ.

અહીં ગણેશજીની પ્રતિમાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપશે. આ ગણેશજી સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આપશે.

મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હોય છે.

પ્રસાદમાં આવતા કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરવામાં આવે તો ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જાય છે.આ માહિતીથી લોકોમાં જાગૃતિ ફેલાય છે.