
આયુર્વેદ અનુસાર બે મહિના સુધી સુકા મેવા સતત ખાવાથી શરીરમાં પોષક તત્વો વધી શકે છે. જેથી ફાયદાના સ્થાને નુકસાન થવાની શક્યતા રહે છે. સતત ડ્રાય ફ્રુટસ ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઇ શકે છે.ગેસ, એસિડીટી અને અન્ય ઘણા નુકસાન થઇ શકે છે.જેથી તેને ખાવા બંધ કરવા જોઇએ.

પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાનું બંધ કર્યાના 15 દિવસ બાદ તેનું સેવન ફરીથી શરુ કરી શકાય છે.આ રીતે તમે બેલેન્સ કરીને ડ્રાયફ્રુટ્સનું સેવન કરી શકો છો. તમે ઇચ્છો તો ડ્રાયફ્રુટ્સને દુધમાં નાખીને ખાઇ શકો છો અથવા ઓટ્સ અથવા કોઇ સ્મુધીમાં નાખીને પણ ખાઇ શકો છો.