Imran Khan: લાદેનને શહીદ, મોબાઈલ ફોન બળાત્કારનું કારણ, આ વિવાદિત નિવેદનોને કારણે ઈમરાનની ઉડી મજાક

|

Apr 10, 2022 | 12:58 PM

સત્તા ગુમાવ્યા બાદ હવે ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમની પાર્ટીમાં (PTI Party) ભંગાણ પડી શકે છે.

1 / 7
ગુલામીની બેડીઓ - અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજાને લઈને આખી દુનિયા ચિંતિત હતી પરંતુ ઈમરાન ખાન ખૂબ ખુશ હતા. તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાને ગુલામીની સાંકળો તોડી નાખી છે.

ગુલામીની બેડીઓ - અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજાને લઈને આખી દુનિયા ચિંતિત હતી પરંતુ ઈમરાન ખાન ખૂબ ખુશ હતા. તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાને ગુલામીની સાંકળો તોડી નાખી છે.

2 / 7
મોબાઈલ ફોનના કારણે વધી રહ્યા છે રેપ - ઈમરાન ખાન ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેણે કહ્યું કે મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે યૌન શોષણના મામલા વધી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં બળાત્કારના કેસ વધવા પાછળનું કારણ મોબાઈલ ફોન જ છે.

મોબાઈલ ફોનના કારણે વધી રહ્યા છે રેપ - ઈમરાન ખાન ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેણે કહ્યું કે મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે યૌન શોષણના મામલા વધી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં બળાત્કારના કેસ વધવા પાછળનું કારણ મોબાઈલ ફોન જ છે.

3 / 7
ટૂંકા કપડા પુરુષોને અસર કરે છે - એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે, 'જો મહિલાઓ ટૂંકા  કપડા પહેરે છે, તો તે પુરુષોને અસર કરશે.'

ટૂંકા કપડા પુરુષોને અસર કરે છે - એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે, 'જો મહિલાઓ ટૂંકા કપડા પહેરે છે, તો તે પુરુષોને અસર કરશે.'

4 / 7
લાદેનને શહીદ કહ્યો- ઈમરાન ખાને સંસદમાં ભાષણ આપતાં અલ-કાયદાના ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો. જ્યારે આ મામલે ઘણો હોબાળો થયો ત્યારે તેમના નજીકના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ઈમરાન ખાનની જીભ લપસી ગઈ છે.

લાદેનને શહીદ કહ્યો- ઈમરાન ખાને સંસદમાં ભાષણ આપતાં અલ-કાયદાના ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો. જ્યારે આ મામલે ઘણો હોબાળો થયો ત્યારે તેમના નજીકના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ઈમરાન ખાનની જીભ લપસી ગઈ છે.

5 / 7
પશ્ચિમમાંથી આવી છે અશ્લીલતા - ઈમરાન ખાને અશ્લીલતા માટે બ્રિટિશ શાસકો પાસેથી વારસામાં મળેલી અંગ્રેજી મીડિયા શિક્ષણ પ્રણાલીને જવાબદાર ઠેરવી હતી. આ સાથે તેણે દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓ માટે આ અશ્લીલતાને જવાબદાર ગણાવી હતી.

પશ્ચિમમાંથી આવી છે અશ્લીલતા - ઈમરાન ખાને અશ્લીલતા માટે બ્રિટિશ શાસકો પાસેથી વારસામાં મળેલી અંગ્રેજી મીડિયા શિક્ષણ પ્રણાલીને જવાબદાર ઠેરવી હતી. આ સાથે તેણે દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓ માટે આ અશ્લીલતાને જવાબદાર ગણાવી હતી.

6 / 7
ભારતની ખોટી વસ્તી જણાવી - ઈમરાન ખાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કહ્યું કે 40-50 લાખની વસ્તીવાળા ન્યૂઝીલેન્ડે 1 અબજ 300 કરોડની વસ્તીવાળા ભારતને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતની વસ્તી લગભગ 136 કરોડ છે.

ભારતની ખોટી વસ્તી જણાવી - ઈમરાન ખાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કહ્યું કે 40-50 લાખની વસ્તીવાળા ન્યૂઝીલેન્ડે 1 અબજ 300 કરોડની વસ્તીવાળા ભારતને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતની વસ્તી લગભગ 136 કરોડ છે.

7 / 7
ચીનના વખાણ પર ટ્રોલ - 2018ની વાત છે, જ્યારે ઈમરાન ખાને ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ એવી ટ્રેન બનાવી રહ્યા છે, જે પ્રકાશથી પણ વધુ ઝડપથી ચાલે છે.

ચીનના વખાણ પર ટ્રોલ - 2018ની વાત છે, જ્યારે ઈમરાન ખાને ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ એવી ટ્રેન બનાવી રહ્યા છે, જે પ્રકાશથી પણ વધુ ઝડપથી ચાલે છે.

Next Photo Gallery