
આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.