PHOTOS: ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા PM Modi, કહ્યું – દોષીઓને છોડીશું નહીં!

|

Jun 03, 2023 | 6:31 PM

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 233 કરતા વધારે યાત્રીઓના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરવા વડાપ્રધાન મોદી બાલાસોર પહોંચ્યા હતા. તેમણે ઘાયલ લોકોની સારવારની જાણકારી લેતા પણ જોવા મળ્યા હતા.

1 / 5
 ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં વડાપ્રધાન મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં વડાપ્રધાન મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.

2 / 5
દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી બાલાસોર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઘાયલો સાથે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના વિચલિત કરનારી છે. દુર્ઘટના માટે જવાદાર લોકોને છોડવામાં આવશે નહીં.

દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી બાલાસોર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઘાયલો સાથે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના વિચલિત કરનારી છે. દુર્ઘટના માટે જવાદાર લોકોને છોડવામાં આવશે નહીં.

3 / 5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. અમે આ દુઃખમાં મૃતકોના પરિવારજનો સાથે છીએ. ઘાયલોને મદદ કરનારનો આભાર.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. અમે આ દુઃખમાં મૃતકોના પરિવારજનો સાથે છીએ. ઘાયલોને મદદ કરનારનો આભાર.

4 / 5
તેમણે આગળ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.

તેમણે આગળ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.

5 / 5
તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

Published On - 6:30 pm, Sat, 3 June 23

Next Photo Gallery