
મયૂરે રિટાયમેન્ટ અંગે વાત કરતા કહ્યું કે 'લોકો સુંદરને પસંદ કરે છે, જાણે તે વાસ્તવિક આત્મા બની ગઈ હોય. ગીતામાં લખ્યું છે કે, આત્મા શરીરને બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે, તો પણ પાત્ર એ જ રહેશે.

જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન જે કંઈ કરે છે, હું તેના માટે આભારી છું.' આ ઉપરાંત, તેમણે કહ્યું, 'જ્યારે મને પહેલીવાર આ ભૂમિકા મળી, ત્યારે મને શંકા હતી કે હું તે સારી રીતે કરી શકીશ કે નહીં.

મયુરે કહ્યું કે તે બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટા થયા છે. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. જેમ કે જેઠાલાલનો ગુસ્સો અને ઘણુ બધુ. આ અંગે સુંદર ક્યારે રિટાયરમેન્ટ લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પણ તે રિટાયર થવા માંગે છે એ આ વાત પરથી જાણી શકાય છે.