
દિપડાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગે બીજા બે પાંજરા ગોઠવ્યા. એક પાંજરૂ ભૂખલ ફળિયા ગામના હરેન્દ્રભાઈ ખંડુભાઈ પટેલના ઘરની નજીક અને બીજું પાંજરૂ આશરે 200 મીટર દૂર ગોઠવ્યું. રાત્રે, આ પાંજરામાં એક બીજો નર દિપડો આશરે ત્રણ વર્ષનો પાંજરમાં પુરાયો, જેનો કબજો વનવિભાગે લીધો.

વનવિભાગે ગોઠવેલ ત્રીજા પાંજરામાં આશરે દોઢથી બે કલાક પછી વધુ એક દિપડી પાંજરમાં પુરાઈ.. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દિપડી આશરે ચાર વર્ષની છે.

કુંભાર ફળિયા ગામમાં એક જ દિવસમાં, આશરે 20 કલાકની અંદર, બે નર દિપડાઓ અને એક માદા દિપડી પાંજરમાં પુરી ગઇ. વનવિભાગે તમામ દિપડાઓનો કબજો લઈ જરૂરી ડોક્ટરી તપાસ કરાવી, અને તેમને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. (નોંધ : અહીં પકડાયેલા 3 દીપડાની તસવીરો રેન્ડમ રીતે આપની જાણકારી માટે આપવામાં આવી છે.)
Published On - 6:05 pm, Thu, 11 December 25