દિલ્હીના નેશનલ ગૈલરી ઓફ મોડર્ન આર્ટસમાં ' મન કી બાત' થીમ પર 'જન શક્તિ : અ કલેક્ટિવ પાવર' પ્રદર્શનનું આયોજન થયું હતું.
વડાપ્રધાન મોદી રવિવારે આ પ્રદર્શન જોવા પહોંચ્યા હતા. તેમણે મનુ, માધવી પારેખ, અતુલ ડોડિયા સહિતના અન્ય કલાકારો સાથે પણ મુલાકાત કરી. તેમણે આ પ્રદર્શનની રચનાત્મક કાર્યોની ખુબ પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન મોદી એ ટ્વિટ કરીને જણાવ્યું કે, આજે NGMAમાં જન શકિતનો પ્રવાસ કર્યો. તે મન કી બાત એપિસોડના કેટલાક વિષયો પર આધારિત કળાની અદ્ભુત કાર્યોની પ્રદર્શની હતી. હું બધા કલાકારોને શુભેચ્છા પાઠવું છું, જેણે આ રચનાત્મક પ્રદર્શન તૈયાર કર્યું છે.
વડાપ્રધાન મોદીએ આ પ્રદર્શનના કેટલાક ફોટો પોતાના ટ્વિટ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ જન શક્તિ પ્રદર્શનના કેટલોગ પર હસ્તાક્ષર પર કર્યા હતા. તેના પર 13 કલાકારો એ હસ્તાક્ષર કર્યા હતા અને એક સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, મન મંદિરની યાત્રા સુખદ રહે. આ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ જન શક્તિ પ્રદર્શનમાં સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અંતરિક્ષ, ભારતના પૂર્વોત્તર, મહિલા સશક્તિકરણ, યોગ અને આયુર્વેદ જેવા મન કી બાતમાં શામેલ થયેલી વિષયો આવરી લેવામાં આવ્યા હતા.