
વડાપ્રધાન મોદીએ આ પ્રદર્શનના કેટલાક ફોટો પોતાના ટ્વિટ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ જન શક્તિ પ્રદર્શનના કેટલોગ પર હસ્તાક્ષર પર કર્યા હતા. તેના પર 13 કલાકારો એ હસ્તાક્ષર કર્યા હતા અને એક સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, મન મંદિરની યાત્રા સુખદ રહે. આ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ જન શક્તિ પ્રદર્શનમાં સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અંતરિક્ષ, ભારતના પૂર્વોત્તર, મહિલા સશક્તિકરણ, યોગ અને આયુર્વેદ જેવા મન કી બાતમાં શામેલ થયેલી વિષયો આવરી લેવામાં આવ્યા હતા.