TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Jan 30, 2023 | 6:42 PM
દિલ્હીમાં ફરવા માટે રાષ્ટ્રપતિ ભવનનું આ અમૃત ઉદ્યાન ખુબ જ શ્રેષ્ઠ સ્થળ છે. આ અમૃત ઉદ્યાનનું કાલે ઉદ્દઘાટન કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ ઉદ્યાન ક્યારે ખુલશે અને તેની ફ્રી બુકિંગ કઈ રીતે કરી શકાશે.
આવતી કાલે 31 જાન્યુઆરીના રોજ અમૃત ઉદ્યાનનું ઓપનિંગ થશે. તે 8 માર્ચ એટલે કે 2 મહિના સુધી ખુલ્લુ રહશે. આ ઉદ્યાન સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખુલ્લુ રહશે. 28 માર્ચે ઉદ્યાન ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે આ ઉદ્યાન ખોલવામાં આવશે. દરેક સોમવારે આ ઉદ્યાન બંધ રહેશે.
આ ઉદ્યાનમાં તમને અનેક પ્રકારના ફૂલો જોવા મળશે. અહીં 12 ટ્યૂલિપ પ્રજાતિના ફૂલો જોવા મળશે. દરેક ફૂલની પ્રજાતિ પાસે ક્યૂઆર કોડ હશે, આ કોડને સ્કેન કરીને તમે ફૂલો વિશે તમામ માહિતીઓ મેળવી શકશો.
અહીં રેડિયો અને ટ્રાંસ્જિસ્ટર, ખાવા-પીવાનો સામાન લઈ જવાશે નહીં. તમે નાના બાળક માટે દૂધ-પાણી સહિત મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ચાવી, પર્સ અને હેન્ડ બેગ લઈ જઈ શકશો. અહીં ઘણા સુંદર સેલ્ફી પોઈન્ટસ પણ છે.
આ ઉદ્યાનની ટિકિટ ફ્રીમાં બુક કરી શકાશે. ઓનલાઈન ટિકિટ માટે તમે https://rashtrapatisachivalaya.gov.in અથવા https://rb.nic.in/rbvisit/visit_plan.aspx વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તમે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને પણ ટિકિટ લઈ શકશો.