Mouth Ulcers: મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપચાર

મોઢાના ચાંદા ખૂબ પીડાદાયક હોય છે. મોઢામાં ચાંદા ઘણા કારણોસર થાય છે. જેમાં પેટમાં અસ્વસ્થતા, ઉઝરડા અને હોર્મોનલ અસંતુલનનો સમાવેશ થાય છે. આ પીડાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા ઘરેલુ ઉપચાર પણ અજમાવી શકો છો.

| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:46 PM
1 / 5
એલોવેરા- એલોવેરા તમારા મોઢાના ચાંદા મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે થોડો એલોવેરા જ્યુસ લઈને તેને મોમાં ચાંદા પડેલી જગ્યા પર લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

એલોવેરા- એલોવેરા તમારા મોઢાના ચાંદા મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે થોડો એલોવેરા જ્યુસ લઈને તેને મોમાં ચાંદા પડેલી જગ્યા પર લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

2 / 5
મધ- મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ચાંદાના બેક્ટેરિયાને ખતમ કરવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા મોંમાં છાલા હોય તો એક ચમચી મધ કોટન પેડ પર લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.

મધ- મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ચાંદાના બેક્ટેરિયાને ખતમ કરવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા મોંમાં છાલા હોય તો એક ચમચી મધ કોટન પેડ પર લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.

3 / 5
હળદર- મોઢાના ચાંદા પર હળદર લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારે હળદરમાં પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી. પછી તેને ચાંદા પર લગાવવી. આ પેસ્ટને થોડી વાર મોંમાં રહેવા દો અને પછી થૂંકી લો. ત્યાર બાદ સાદા પાણીથી મોં ધોઈ લો.

હળદર- મોઢાના ચાંદા પર હળદર લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારે હળદરમાં પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી. પછી તેને ચાંદા પર લગાવવી. આ પેસ્ટને થોડી વાર મોંમાં રહેવા દો અને પછી થૂંકી લો. ત્યાર બાદ સાદા પાણીથી મોં ધોઈ લો.

4 / 5
ઘી - ચાંદા મટાડવામાં ઘી અસરકારક માનવામાં આવે છે. તમારી આંગળી પર થોડું ઘી લો. તેને ફોલ્લાઓ પર લગાવો. આ ચાંદાથી રાહત મેળવવામાં મદદ કરશે.

ઘી - ચાંદા મટાડવામાં ઘી અસરકારક માનવામાં આવે છે. તમારી આંગળી પર થોડું ઘી લો. તેને ફોલ્લાઓ પર લગાવો. આ ચાંદાથી રાહત મેળવવામાં મદદ કરશે.

5 / 5
એપલ સાઇડર વિનેગર - એપલ સાઇડર વિનેગર પણ ચાંદા માટે સૌથી અસરકારક ઉપાય છે. તેમાં કેટલાક એસિડિક ઘટકો હોય છે જે તમારા ચાંદાઓ બનાવતા બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી હૂંફાળા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તેને થોડી વાર મોંમાં મૂકી રાખો અને પછી તેને થૂંકી દો. પછી સાદા પાણીથી ધોઈ લો.

એપલ સાઇડર વિનેગર - એપલ સાઇડર વિનેગર પણ ચાંદા માટે સૌથી અસરકારક ઉપાય છે. તેમાં કેટલાક એસિડિક ઘટકો હોય છે જે તમારા ચાંદાઓ બનાવતા બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી હૂંફાળા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તેને થોડી વાર મોંમાં મૂકી રાખો અને પછી તેને થૂંકી દો. પછી સાદા પાણીથી ધોઈ લો.