
હાલમાં જ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાઈ કરીને પાછા ફરી રહેલા ભારતીય પર્વતારોહક અરુણ કુમાર તિવારીનું 'ડેથ ઝોન'માં મોત થયું છે, અને તેમના પરિવારે લાશ ત્યાં જ છોડવાનો નિર્ણય કર્યો છે.

માઉન્ટ એવરેસ્ટ પર 8,000 મીટરથી ઉપરના વિસ્તારને 'ડેથ ઝોન' કહેવાય છે. અહીં હવાનું દબાણ સામાન્ય કરતાં ત્રીજા ભાગનું થઈ જાય છે અને ઓક્સિજન ઘટીને 50-60% થઈ જાય છે.

ડેથ ઝોનમાં પર્વતારોહકોના ફેફસામાં પાણી ભરાઈ જાય છે અથવા મગજમાં સોજો આવી જાય છે, જેના કારણે માણસ ગણતરીના કલાકોમાં દમ તોડી દે છે.

બરફ જામી જવાને કારણે મૃતદેહનું વજન 100 કિલોથી વધુ થઈ જાય છે. આવી સ્થિતિમાં શેરપા માટે પોતાની સાથે આટલું વજન નીચે લાવવું અશક્ય બની જાય છે.

એવરેસ્ટ પર હવા એટલી પાતળી હોય છે કે હેલિકોપ્ટરના બ્લેડ કામ નથી કરી શકતા. હેલિકોપ્ટર માત્ર કેમ્પ-2 સુધી જ જઈ શકે છે, તેની ઉપર જવું અશક્ય છે.

એવરેસ્ટ પરથી એક મૃતદેહ નીચે લાવવા માટે આખું નવું મિશન મોકલવું પડે છે, જેનો ખર્ચ ₹33 લાખથી લઈને ₹1.65 કરોડ સુધીનો થાય છે.

વર્ષ 1984માં એક જર્મન મહિલા પર્વતારોહકની લાશ લાવવાના ચક્કરમાં બચાવ દળના બે સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

એવરેસ્ટ પર ચડવા માટે મે મહિનામાં માત્ર 2 થી 3 અઠવાડિયાનો સમય જ સારો હોય છે. ત્યારબાદ 160 કિમીની ઝડપે પવન ફૂંકાય છે અને તાપમાન -40 ડિગ્રીથી નીચે જાય છે.

53 વર્ષના અરુણ કુમાર તિવારી અને 47 વર્ષના સંદીપ અરેએ એવરેસ્ટ ફતેહ તો કર્યો, પણ પાછા ફરતી વખતે બીમારી અને સ્નો બ્લાઇન્ડનેસ (આંખે દેખાતું બંધ થવું) ના કારણે મોતને ભેટ્યા.

નેપાળ સરકારે વર્ષ 2026માં રેકોર્ડબ્રેક 494 પરમિટ જાહેર કરી છે. એક જ દિવસમાં (20 મે 2026) 274 લોકો એવરેસ્ટની ટોચે પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે.