
વર્ષ 2000 માં હાર્વર્ડના એક ન્યુરોસાયન્ટિસ્ટ દ્વારા મોનાલિસાની આ પેઇન્ટિંગ પર રિચર્સ કરવામાં આવ્યુ હતુ, તેમણે જણાવ્યું હતું કે મોનાલિસાનું સ્મિત ક્યારેય બદલાતું નથી પણ તમારી માનસિકતાના આધારે તમને એ જોવા મળે છે.એ જ રીતે જો તમે ખુશ છો તો તમને મોનાલિસા હસતી જોવા મળશે, ઉપરાંત જો તમે ઉદાસ છો તો તમને મોનાલિસાનું સ્મિત નહી દેખાય.

એવુ પણ માનવામાં આવે છે કે મોનાલિસા અન્ય કોઈ નહીં પણ લિયોનાર્ડો પોતે હતા. આ પેઇન્ટિંગમાં લિયોનાર્ડોએ પોતાને એક મહિલા તરીકે બનાવી છે. આ અત્યાર સુધીની સૌથી મૂલ્યવાન પેઇન્ટિંગ છે, જેની કિંમત લગભગ 867 મિલિયન ડોલર છે. ભારતમાં તેની કિંમત લગભગ 6.4 હજાર કરોડ છે.

જો કે આજે પણ એ જાણી શકાયું નથી કે મોનાલિસા કોણ હતી? કે જેનું ચિત્ર લિયોનાર્ડોએ બનાવ્યું હતું.