Modi Cabinet Shapath Grahan: ગુજરાતના 6 , યુપીમાંથી 4 અને બિહારમાંથી 10 મંત્રીઓ આજે પીએમ મોદી સાથે શપથ લેશે, જુઓ લિસ્ટ
Modi Cabinet Shapath Grahan: નરેન્દ્ર મોદી આજે સાંજે 7.15 કલાકે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. તેની સાથે એનડીએના 40 સાંસદ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. તો ચાલો આજે આપણે કેટલાક મહત્વના ચેહરાઓ પર વાત કરીએ.
1 / 8
નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળ માટે રવિવારના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ ખુબ જ ખાસ રહેશે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મેહમાનો સામેલ થઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, શપથ ગ્રહણ સમારોહમાં દેશ ભરમાંથી 10 વંદે ભારત ટ્રેનના લોકો પાયલટ પણ વિશેષ મહેમાનના રુપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકો પાયલટ પણ છે.
2 / 8
શિંદે જૂથના પ્રતાપ રાવ જાધવ 1995માં મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1997 થી લઈ 1999 સુધી મહારાષ્ટ્ર સરકારમાં રમતગમત, યુવા કલ્યાણી અને સિંચાઈ રાજ્ય મંત્રી રહ્યા હતા. તેમજ 1999 અને 2004માં તેઓ સતત ત્રીજી વખત વિધાનસભા પહોંચ્યા હતા.
3 / 8
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેને પણ મંત્રી બનવા માટે ફોન આવી ચુક્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઠવલેને મોદી કેબિનેટમાં મોટી જવાબદારી મળી શકે છે.
4 / 8
જયશંકર 30 મે 2019થી ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે કાર્યરત છે. સુત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે. કે, ભાજપ 4 મંત્રાલય પોતાની પાસે જ રાખશે. જેમાં એક જયશંકરનું મંત્રાલય પણ સામેલ છે.
5 / 8
નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે. તેમની સાથે ઘણા સાંસદો પણ નવી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, જેમાંથી સૌથી યુવા મંત્રી TDP સાંસદ રામ મોહન નાયડુ હશે.
6 / 8
આ વખતે લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ અહિ બનગાંવ સીટ પર ભાજપે જીત મેળવી છે. પાર્ટીના ઉમેદવાર શાંતુનુ ઠાકુરે ટીએમસીના વિસ્વજીતને હાર આપી હતી.સાંસદોને પણ મંત્રી બનવા માટેના ફોન આવ્યા છે. જેમાં બંગાળના શાંતનુ ઠાકુરનું પણ નામ સામેલ છે.
7 / 8
ભાજપે 2021માં માત્ર 36 વર્ષના અન્નામલાઈને પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ બનાવી સૌને ચોંકાવી દીધા હતા. અન્નામલાઈ ભાજપને તમિલનાડુમાં ભલે કોઈ સીટ અપાવી શક્યા નહિ પરંતુ પાર્ટીના 11.01 ટકા વોટ શેર યુવા નેતાને આભારી છે. તમને જણાવી દઈએ કે, પોલિસમાં સિંધમના નામી મશહુર હતો પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈ.
8 / 8
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કરનાલના સાંસદ મનોહર લાલ ખટ્ટરને પીએમના નિવાસસ્થાન માટે ફોન આવ્યો.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેમને મોટી જવાબદારી મળી શકે છે.