
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા મંત્રી બનવાને લઈ ચર્ચામાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમણે મંત્રી પદ મળતા જામનગરમાં ઉજવણીની માહોલ છે.

રિવાબા જાડેજા ગુજરાતના જામનગરના રહેવાસી છે. તેમનું ઘર જામનગરમાં છે.. તેઓ જામનગરના ભાજપના ધારાસભ્ય પણ છે. હવે તેમને દાદાની સરકારમાં મંત્રી પદ મળ્યું છે.

રિવાબા જાડેજાનું જામનગરમાં ચાર માળનું આલીશાન મકાન છે.

તેના ઘરના દરવાજાથી લઈને જૂના ફર્નિચર અને ઝુમ્મર સુધી બધું જ ખૂબ જ સુંદર છે. રિવાબા જાડેજા પોતાના રાજકીય જીવનને કારણે ચર્ચામાં રહે છે.

વર્ષ 2024માં જ્યારે ભારે વરસાદના કારણે જામનગરના હાલ-બેહાલ થયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ તો ખુદ રીવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.