
વર્ષ 1989માં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ અર્થે યોજાયેલ શ્રી રામ શીલા પૂજનના રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં તારીખ 16 ઓગસ્ટ 1989માં અમદાવાદથી શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રથમ ઇષ્ટિકાનું પૂજન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

એ સમયે શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનનું સૂત્ર સંભાળતાઅશોક સિંઘલ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર્તાઓ, સંતો-મહંતો સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અંગે વિમર્શ કરીને શ્રીરામ મંદિરના સર્વોત્તમ નિર્માણ માટે સેવામાં તત્પર રહ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજની સાથે તેમના અનુગામી મહંત સ્વામી પણ શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ચાલતા ધૂન-યજ્ઞમાં સમયે સમયે જોડાયા છે

શ્રી રામમંદિરના ભૂમિપૂજન સમારોહ માટે બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજે રામ જન્મભૂમિ શિલાન્યાસ વિધિ વખતે શ્રી રામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય તે માટે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો 22 જાન્યુઆરીએ આનંદોત્સવમાં જોડાશે. ઘરે ઘરે દીપમાળા, રંગોળી, અન્નકૂટ, તોરણો દ્વારા ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાની મહાઆરતીમાં જોડાશે.