
29 સપ્ટેમ્બર 2019ના રોજ, લતા મંગેશકર શોમાં ખાસ મહેમાન હતા. તેઓ ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે. આ શોમાં વિવિધ તહેવારોના પ્રસંગે ગરીબોને મદદ કરવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવી, ઇ-સિગારેટ પર પ્રતિબંધ વગેરે જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્ર્મ 14 સપ્ટેમ્બર, 2017ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને ‘મન કી બાત - રેડિયો પર એક સામાજિક ક્રાંતિ’ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'ના 99મા એપિસોડમાં ભારતની સંભવિતતા હાંસલ કરવામાં મોખરે રહેલી મહિલા શક્તિની પ્રશંસા કરી હતી. શિવા ચૌહાણ, ઓસ્કાર વિજેતા ગુણીત મોંગા અને કાર્તિ ગોન્સાલ્વિસ, લોકો પાઇલટ સુરેખા યાદવ અને અન્યની પ્રશંસા કરી હતી.

PM એ ભારપૂર્વક કહ્યું કે ભારતની 'નારી શક્તિ' રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી મહિલાઓની પ્રશંસા કરતા, PM એ નાગાલેન્ડના રાજકારણનું ઉદાહરણ ટાંક્યું જ્યાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પછી 75 વર્ષમાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભામાં બે મહિલા ધારાસભ્યો ચૂંટાયા. સાથે નાગાલેન્ડના લોકોને એક મહિલા મંત્રી પણ મળ્યા હોવાનું જણાવ્યુ હતું.
Published On - 8:54 am, Sun, 30 April 23