
આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.