London News : કેનેડા-ભારતના સંગ્રામ વચ્ચે લંડનથી બ્રિટિશ શીખ સાંસદે આપી આવી પ્રતિક્રિયા
બ્રિટિશ લેબર સાંસદે ટ્વિટર પર તેમના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કર્યું, "કેનેડામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સ્લોફ અને તેનાથી આગળના ઘણા શીખો દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો છે જેઓ ચિંતિત, ગુસ્સે અથવા ડરેલા છે.કેનેડાના પીએમ ટ્રુડોએ સોમવારે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો મોટો આરોપ લગાવ્યો હતો.
સોમવારે કેનેડાની સંસદને સંબોધતા ટ્રુડોએ દાવો કર્યો હતો કે તેમના દેશના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે "ભારત સરકારના એજન્ટો"એ સરેમાં નાનક શીખ ગુરુદ્વારાની મુલાકાતે આવેલા કેનેડિયન નાગરિકની હત્યા કરી હતી.