Kutch: નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દાતાઓએ હરિકૃષ્ણ મહારાજને અપર્ણ કર્યું સુવર્ણનું દાન, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત જુઓ Photos 

|

Apr 21, 2023 | 11:50 PM

ભુજમાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષની ભવ્ય ઉજવણી મહોત્સવના રૂપમાં થઇ રહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.  હર્ષ સંઘવીએ ભુજ મહોત્સવની મુલાકાત લઇને કાર્યકરોની સેવાને બિરદાવી હતી. 9 દિવસીય મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો મંદિર દ્વારા આયોજીત થયા છે જેમાં દેશ વિદેશથી હરિભક્તો દર્શન અને સેવા માટે આવ્યા છે અને કરોડો રૂપિયાના દાનની વર્ષા પણ કરી રહ્યા છે.

1 / 5
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવની મુલાકાત દરમિયાન કચ્છના વિકાસ તથા સામાજીક વિકાસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું આ વિકાસયાત્રામાં સહયોગ આપવા રાજય સરકાર હંમેશાં મંદિરની પડખે હોવાનો કોલ પણ આપ્યો હતો.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવની મુલાકાત દરમિયાન કચ્છના વિકાસ તથા સામાજીક વિકાસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું આ વિકાસયાત્રામાં સહયોગ આપવા રાજય સરકાર હંમેશાં મંદિરની પડખે હોવાનો કોલ પણ આપ્યો હતો.

2 / 5
દાતાઓ દ્વારા ભગવાન કૃષ્ણ,રાધાજી અને હરિકૃષ્ણ મહારાજને સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા તો સાથે સુવર્ણનાં મોળીયા, સુવર્ણ છત્ર સહિતની ભેટ અર્પણ કરાઇ હતી ત્યારે આજે ભગવાનના આયુધ, પાઘડી, બાજુબંધ, ગળાના હાર સહિતનાં અનેક સુવર્ણ આભૂષણો નરનારાયણ દેવના ચરણોમાં સમર્પિત કર્યા હતાં.

દાતાઓ દ્વારા ભગવાન કૃષ્ણ,રાધાજી અને હરિકૃષ્ણ મહારાજને સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા તો સાથે સુવર્ણનાં મોળીયા, સુવર્ણ છત્ર સહિતની ભેટ અર્પણ કરાઇ હતી ત્યારે આજે ભગવાનના આયુધ, પાઘડી, બાજુબંધ, ગળાના હાર સહિતનાં અનેક સુવર્ણ આભૂષણો નરનારાયણ દેવના ચરણોમાં સમર્પિત કર્યા હતાં.

3 / 5
હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ભવ્ય સામૈયું પણ કર્યું હતું.  9 દિવસીય મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો મંદિર દ્વારા આયોજીત થયા છે જેમાદેશ વિદેશથી હરિભક્તો દર્શન અને સેવા માટે આવ્યા છે સાથે કરોડો રૂપીયાના દાનની વર્ષા પણ કરી રહ્યા છે.

હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ભવ્ય સામૈયું પણ કર્યું હતું. 9 દિવસીય મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો મંદિર દ્વારા આયોજીત થયા છે જેમાદેશ વિદેશથી હરિભક્તો દર્શન અને સેવા માટે આવ્યા છે સાથે કરોડો રૂપીયાના દાનની વર્ષા પણ કરી રહ્યા છે.

4 / 5
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ન માત્ર કચ્છ, પરંતુ ગુજરાત તથા દેશભરમાં આવતી આપત્તિ સમયે હરહંમેશા મદદ પહોંચાડવાની સેવાને મુઠ્ઠીઉંચેરી ગણાવીને માનવતાના આ કાર્યોમાં સંપ્રદાય હંમેશા આ જ રીતે અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરી હતી.

આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ન માત્ર કચ્છ, પરંતુ ગુજરાત તથા દેશભરમાં આવતી આપત્તિ સમયે હરહંમેશા મદદ પહોંચાડવાની સેવાને મુઠ્ઠીઉંચેરી ગણાવીને માનવતાના આ કાર્યોમાં સંપ્રદાય હંમેશા આ જ રીતે અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરી હતી.

5 / 5
ભગવાનના સામૈયા  દરમિયાન ઉપસ્થિત ભાવિક ભકતજનો ભાવ વિભોર થઈ ગયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.. બેન્ડ વાજા અને  બેન્ડના તાલે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાનના સામૈયા દરમિયાન ઉપસ્થિત ભાવિક ભકતજનો ભાવ વિભોર થઈ ગયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.. બેન્ડ વાજા અને બેન્ડના તાલે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Photo Gallery