
તેનું બીજું કારણ એ છે કે, પ્લેટફોર્મની બાજુથી ટ્રેનને બહાર કાઢતી વખતે પણ ફુલ સ્પીડ જાળવી શકાતી નથી કારણ કે, મોટા ભાગે નોન સ્ટોપ ટ્રેનો મુખ્ય લાઇનમાંથી પસાર થાય છે.

ઘણી વખત મેઈન લાઈનમાં કોઈ કારણસર વ્યસ્ત હોય તો તેને પ્લેટફોર્મ લાઈનમાં પસાર કરવાની ફરજ પાડવામાં આવે છે. એટલા માટે લોકો પાયલોટને સ્પીડ ઓછી કરવી પડશે.

જ્યાં સ્ટેશનની આગળ ડેડ એન્ડ છે, ત્યાં ડ્રાઈવર અગાઉથી જ સ્પીડ ધીમી કરી દે છે.

છત્રપતિ શિવાજી ટર્મિનસમાં પ્રવેશતા પહેલા જ ટ્રેનની સ્પીડ 10 કિમી પ્રતિ કલાકથી નીચે આવી જાય છે.