Knowledge: વિમાનમાં ઈમરજન્સીની સ્થિતિમાં કેવી રીતે ખુલશે Exit gate, જાણો આ અહેવાલમાં
હાલમાં જ નેપાળમાં ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી હતી. આવી સ્થિતિમાં વિમાનનો એક્ઝિટ ગેટ કેવી રીતે ખોલી શકાય? ચાલો જાણીએ વિમાનના ઈમરજન્સીની સ્થિતિમાં એક્ઝિટ ગેટ કઈ રીતે ખોલી શકાય.
1 / 5
વિમાનમાં ઈમરજન્સીની સ્થિતિ ઘણીવાર બનતી હોય છે. આવી સ્થિતિમાં દરેક એરલાઈન્સ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિમાન ઉડે તે પહેલા પણ યાત્રીઓને ઈમરજન્સીની સ્થિતિમાં કેવા પગલા લેવા તેની જાણકારી આપવામાં આવે છે.
2 / 5
વિમાનનો ઈમરજન્સી ગેટ કેવી રીતે ખોલવો તેની જાણકારી મુસાફરોને આપવામાં આવે છે. ઈમરજન્સી ગેટ પાસે બેઠેલા મુસાફરને ટૂંકી તાલીમ આપવામાં આવે છે. એક્ઝિટ ગેટ ખોલવા માટે, પેસેન્જરે તેની સીટની બાજુમાં મૂકેલા ગ્રીલ હેન્ડલનો ઉપયોગ કરવો પડશે. હવે ચાલો સમજીએ કે એક્ઝિટ ગેટ કેવી રીતે ખોલવો.
3 / 5
જે પણ યાત્રી એક્ઝિટ ગેટ પાસે બેઠો હોય છે, તેની ડાબા ભાગમાં ઉપર તરફ એક લાલ રંગનું હેન્ડલ હોય છે. આ હેન્ડલ પર પુલ ટૂ ઓપન લખ્યું હોય છે. તેને પકડીને ઉપરની તરફ ખેંચવાનું હોય છે. આવું કરતા જ વિમાનનો એક્ઝિટ ગેટ ખુલી જાય છે. ઈમરજન્સીની સ્થિતિમાં યાત્રીઓ આ ગેટમાંથી ઝડપથી બહાર નીકળી શકે છે.
4 / 5
ક્યારે વિમાનનો એક્ઝિટ ગેટ ખોલવો તે મુસાફરો નહીં પણ કેબિન ક્રૂ નક્કી કરે છે. તેની જાહેરાત બાદ જ તેને ખોલી શકાય છે. જ્યારે તેમને લાગે છે કે ઈમરજન્સીની સ્થિતિ ખરેખર બની ગઈ છે. પરંતુ કેબિન ક્રૂની વાત મુસાફરો સુધી પહોંચી નથી અને સ્થિતિ વધુ વણસી રહી છે. આ સ્થિતિમાં મુસાફર તેને ખોલી શકાય છે.
5 / 5
ઈમરજન્સીની સ્થિતિ સિવાય કોઈ યાત્રી જો આ એક્ઝિટ ગેટ ખોલે છે, તો તેના પર કાર્યવાહી થાય છે. આ સ્થિતિમાં અન્ય મુસાફરોને કેટલું નુકશાન થયું છે, તેના આધાર પર તે વ્યક્તિને દંડ કરવામાં આવે છે.