દુશ્મન દેશોની છાતી ચિરશે INS Vagir, જાણો આ સબમરીનની તાકાત અને ખાસિયત વિશે
જમીન, આકાશ અને સમુદ્ધ દરેક સ્તર પર ભારતીય સેનાના જવાનો 24*7 તૈનાત રહે છે. ભારતીય સૈનાને વધારે આધુનિક, સુરક્ષિત, સુવિધાયુક્ત અને તાકાતવર બનાવવા માટે ભારત સરકાર આધુનિક હથિયારો, વિમાન, યુદ્ધ જહાજ અને સબમરીન આપી રહી છે.
1 / 5
23 જાન્યુઆરીના રોજ કલવારી શ્રેણીની પાંચમી સબમરીન વાગીર ભારતીય નૈવીને સોંપવામાં આવશે. ભારતમાં તેનું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા મૈસર્સ નેવલ ગ્રુપ, ફ્રાન્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીન દુશ્મન દેશોની છાતી ચીરવાની તાકત ધરાવે છે.
2 / 5
આઈએનએસ વાગીર એક ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. તેમાં આધુનિક નેવિગેશન, ટ્રેકિંગ જેવી સુવિધા સાથે બારુદી સુરંગ પાથરી શકે છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે દરેક પરિસ્થિતિમાં કોઈપણ મિશનને અંજામ આપી શકે છે.
3 / 5
આ કલવરી વર્ગની સબમરીનની ઊંચાઈ લગભગ 40 ફૂટ અને લંબાઈ લગભગ 220 ફૂટ છે. તેને ડીઝલ એન્જિન મળે છે અને વિકલ્પ તરીકે 360 બેટરી સેલ મળે છે. ખાસ વાત એ છે કે તે પાણીની સપાટી પર 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ પાણીની અંદર તેની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે.
4 / 5
INS વાગીરની ગતિ તેના પ્રદર્શનને નિર્ધારિત કરે છે, તે 50 દિવસ સુધી સતત પાણીની નીચે રહી શકે છે. અને 350 ફૂટ ઊંડે સુધી જઈ શકે છે. 15 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે એક જ વારમાં 1020 કિમીનું અંતર કાપી શકે છે. સ્પીડ ઉપર અથવા નીચે વધારીને તેનું અંતર વધારી શકાય છે. વાગીરમાં 8 આર્મી ઓફિસર અને 35 જવાન તૈનાત થઈ શકે છે. તેનું વજન લગભગ 1500 ટન છે.
5 / 5
આ પહેલા વાગીરને 01 નવેમ્બર 1973ના રોજ 'કમીશન' કરવામાં આવ્યું હતું અને તેણે પેટ્રોલિંગ સહિત અનેક ઓપરેશનલ મિશન હાથ ધર્યા હતા. લગભગ ત્રણ દાયકા સુધી દેશની સેવા કર્યા પછી 07 જાન્યુઆરી 2001ના રોજ સબમરીનને રદ કરવામાં આવી હતી.