
આજે આપણે જેને રૂપિયા કહીએ છીએ તેનું નામકરણ કરવાનો શ્રેય શેરશાહ સૂરીને જાય છે. 16મી સદીના રાજા શેરશાહે પોતાના ચલણનું નામ રૂપિયા રાખ્યું હતું.

1540 માં શેર શાહે ચલણનું નામ રૂપિયા રાખ્યું. એવો દાવો કરવામાં આવે છે કે આ નામ સંસ્કૃત શબ્દ રૂપ્ય પરથી આવ્યું છે.

રૂપિયા શબ્દનો અર્થ ચાંદીનો ટુકડો થાય છે. શેરશાહ સૂરીએ તેમના શાસનકાળ દરમિયાન આવા ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા અને આ નામ આપ્યું હતું.

રુપિયા શબ્દ સાથે જે ચલણનો ઉપયોગ થતો હતો તેને મુઘલોએ વધુ વિસ્તાર્યો અને તેને બે ભાગમાં વહેંચી દીધો, જેમાં પૈસા શબ્દનો સમાવેશ થતો હતો, જે રુપિયા કરતા નાનો હતો.

આ રીતે ભારતીય ચલણ માટે એક ધોરણ નક્કી કરવામાં આવ્યું. આ મુઘલ યુગથી શરૂ થયું અને બ્રિટિશ શાસન સુધી પહોંચ્યું.

સમય સાથે ફેરફારો થયા. હવે ભારતીય ચલણના સિક્કાઓમાં ચાંદી નથી. આ નિકલના બનેલા છે. હવે 1, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે.