
ધ્યાન - જો સરળ ભાષામાં સમજીએ તો વ્યક્તિનું મન એક સમયે ઘણી બધી વસ્તુઓ વિચારે છે, જેના કારણે તેના મનની શાંતિમાં ખલેલ પહોંચે છે. તે શાંતિ પાછી મેળવવા માટે, વ્યક્તિના શરીર અને મનને શાંત રાખવા માટે ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. સવારે 4-5 વાગ્યાનો સમય મેડિટેશન કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

ધ્યાન વ્યકિતને ઘણી રીતે રાહત આપે છે, જેમ કે તે વ્યક્તિની ભૂલી જવાની આદતને સુધારે છે, તણાવ અને બેચેની ઘટાડે છે અને તે નિંદ્રાની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરવાનો પ્રયાસ કરે છે. આમ યોગ અને ધ્યાન શરીર માટે લાભદાયક હોય છે, જેથી યોગ અને ધ્યાન નિયમિત કરવુ જોઈએ.