
નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.