Chatrapati Shivaji Maharaj Jayanti 2022: જાણો કેવી રીતે છત્રપતિ બન્યા ‘શિવાજી મહારાજ’

શિવાજી મહારાજે શરૂઆતથી જ કાર્યક્ષમ વ્યૂહરચના અને રણનીતિની મદદથી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. બીજાપુર અને મુઘલોના વિરોધનો સામનો કરીને તેમણે દુશ્મનોને પોતાની સામે ટકી રહેવા દીધા ન હતા.

| Edited By: | Updated on: Feb 19, 2022 | 5:58 PM
4 / 7
આ ઘટનાઓ પછી બીજાપુરના (Bijapur) આદિલશાહે જુલાઈ 1648ના રોજ શિવાજીના પિતાને કેદ કર્યા. જે 1649માં રિલીઝ થયા હતા. જ્યારે તેમના પિતાને કેદ કરવામાં આવ્યા હતા, ત્યારે શિવાજીએ તેમના અભિયાનના વિસ્તરણને અટકાવ્યું હતું અને 1655 સુધી પોતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખૂબ જ કુશળ વ્યૂહરચનાકાર અને રાજકારણી હતા. 1656થી તેને બીજાપુરના અન્ય જાગીરદારો સાથે તકરાર થઈ અને તેણે મુત્સદ્દીગીરીનો આશરો લીધો અને ઘણા સામંતશાહીઓની છોકરીઓ સાથે લગ્ન કરવાની નીતિ અપનાવી. શિવાજીએ તેમના જીવનમાં 8 લગ્ન કર્યા હતા. (Image-Wikimedia-commons)

આ ઘટનાઓ પછી બીજાપુરના (Bijapur) આદિલશાહે જુલાઈ 1648ના રોજ શિવાજીના પિતાને કેદ કર્યા. જે 1649માં રિલીઝ થયા હતા. જ્યારે તેમના પિતાને કેદ કરવામાં આવ્યા હતા, ત્યારે શિવાજીએ તેમના અભિયાનના વિસ્તરણને અટકાવ્યું હતું અને 1655 સુધી પોતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખૂબ જ કુશળ વ્યૂહરચનાકાર અને રાજકારણી હતા. 1656થી તેને બીજાપુરના અન્ય જાગીરદારો સાથે તકરાર થઈ અને તેણે મુત્સદ્દીગીરીનો આશરો લીધો અને ઘણા સામંતશાહીઓની છોકરીઓ સાથે લગ્ન કરવાની નીતિ અપનાવી. શિવાજીએ તેમના જીવનમાં 8 લગ્ન કર્યા હતા. (Image-Wikimedia-commons)

5 / 7
1657માં, શિવાજી (Chatrapati Shivaji Maharaj) નો મુઘલો (Mughals) સાથે પ્રથમ મુકાબલો થયો. જેમાં તેઓ જીત્યા. શાહજહાંની માંદગીના કારણે ઔરંગઝેબને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. મુઘલો પાસેથી ઘણા પ્રદેશો છીનવી લીધા પછી, 1659માં આદિલ શાહની સેના સાથે શિવાજીનું યુદ્ધ પ્રતાપગઢ કિલ્લા પર થયું. જેમાં શિવાજીનો વિજય થયો. પરંતુ ઔરંગઝેબે દિલ્હીની ગાદી મેળવી લીધા બાદ તેણે શૈસ્કા ખાનને દોઢ લાખ સૈનિકો સાથે શિવાજી પર હુમલો કરવા મોકલ્યો. શૈસ્કા ખાને પૂના અને શિવાજીના લાલ મહેલ પર કબજો કર્યો પરંતુ ટૂંક સમયમાં જ શિવાજીએ છાપામાર પદ્ધતિથી હુમલો કર્યો. શૈસ્કા ખાનને ઇજા પહોંચાડી અને તેને ભગાડી મુક્યો.(Image-File Image)

1657માં, શિવાજી (Chatrapati Shivaji Maharaj) નો મુઘલો (Mughals) સાથે પ્રથમ મુકાબલો થયો. જેમાં તેઓ જીત્યા. શાહજહાંની માંદગીના કારણે ઔરંગઝેબને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. મુઘલો પાસેથી ઘણા પ્રદેશો છીનવી લીધા પછી, 1659માં આદિલ શાહની સેના સાથે શિવાજીનું યુદ્ધ પ્રતાપગઢ કિલ્લા પર થયું. જેમાં શિવાજીનો વિજય થયો. પરંતુ ઔરંગઝેબે દિલ્હીની ગાદી મેળવી લીધા બાદ તેણે શૈસ્કા ખાનને દોઢ લાખ સૈનિકો સાથે શિવાજી પર હુમલો કરવા મોકલ્યો. શૈસ્કા ખાને પૂના અને શિવાજીના લાલ મહેલ પર કબજો કર્યો પરંતુ ટૂંક સમયમાં જ શિવાજીએ છાપામાર પદ્ધતિથી હુમલો કર્યો. શૈસ્કા ખાનને ઇજા પહોંચાડી અને તેને ભગાડી મુક્યો.(Image-File Image)

6 / 7
આ પછી ઔરંગઝેબે (Aurangzeb) રાજા જયસિંહને શિવાજી પર નિયંત્રણ કરવા માટે મોકલ્યા. જયસિંહ ઓછા સૈનિકો પછી પણ શિવાજીને (Chatrapati Shivaji Maharaj)નબળા કરવામાં સફળ રહ્યા અને શિવાજીને સમાધાન કરવા દબાણ કર્યું. 11 જૂન 1665ના રોજ પુરંધરની સંધિમાં (Treaty of Purandhar)શિવાજીએ મુઘલોને 23 કિલ્લાઓ આપવા પડ્યા અને તેમની પાસે માત્ર 12 કિલ્લા જ બાકી રહ્યા. આટલું જ નહીં, ચાર લાખ સોનાનું મુદ્રા આપવા ઉપરાંત તેણે સંભાજીને મુઘલોના દક્ષિણના અભિયાનમાં મદદ કરવા મોકલવા પડ્યા.(Image-Pintrest)

આ પછી ઔરંગઝેબે (Aurangzeb) રાજા જયસિંહને શિવાજી પર નિયંત્રણ કરવા માટે મોકલ્યા. જયસિંહ ઓછા સૈનિકો પછી પણ શિવાજીને (Chatrapati Shivaji Maharaj)નબળા કરવામાં સફળ રહ્યા અને શિવાજીને સમાધાન કરવા દબાણ કર્યું. 11 જૂન 1665ના રોજ પુરંધરની સંધિમાં (Treaty of Purandhar)શિવાજીએ મુઘલોને 23 કિલ્લાઓ આપવા પડ્યા અને તેમની પાસે માત્ર 12 કિલ્લા જ બાકી રહ્યા. આટલું જ નહીં, ચાર લાખ સોનાનું મુદ્રા આપવા ઉપરાંત તેણે સંભાજીને મુઘલોના દક્ષિણના અભિયાનમાં મદદ કરવા મોકલવા પડ્યા.(Image-Pintrest)

7 / 7
1666 ઔરંગઝેબે (Aurangzeb) શિવાજીને આગ્રા બોલાવ્યા અને સંભાજીને કેદ કર્યા. પરંતુ શિવાજી (Chatrapati Shivaji Maharaj) તેમના પુત્ર સાથે ત્યાંથી ભાગી ગયા. ત્યારપછીના કરારોમાં ઔરંગઝેબે શિવાજીને રાજાનું પદ આપ્યું. પરંતુ 1670 પછી ઔરંગઝેબને દક્ષિણમાં પોતાની સત્તા ઘટાડવી પડી. આનો લાભ લઈને શિવાજીએ સુરત પર હુમલો કર્યો. આ પછી શિવાજીએ મુઘલોને આપવામાં આવેલા તેમના તમામ કિલ્લાઓ પાછા મેળવી લીધા અને 1674માં છત્રપતિ બન્યા. (Image_jagran josh)

1666 ઔરંગઝેબે (Aurangzeb) શિવાજીને આગ્રા બોલાવ્યા અને સંભાજીને કેદ કર્યા. પરંતુ શિવાજી (Chatrapati Shivaji Maharaj) તેમના પુત્ર સાથે ત્યાંથી ભાગી ગયા. ત્યારપછીના કરારોમાં ઔરંગઝેબે શિવાજીને રાજાનું પદ આપ્યું. પરંતુ 1670 પછી ઔરંગઝેબને દક્ષિણમાં પોતાની સત્તા ઘટાડવી પડી. આનો લાભ લઈને શિવાજીએ સુરત પર હુમલો કર્યો. આ પછી શિવાજીએ મુઘલોને આપવામાં આવેલા તેમના તમામ કિલ્લાઓ પાછા મેળવી લીધા અને 1674માં છત્રપતિ બન્યા. (Image_jagran josh)