
વિદેશોમાં સ્થિત ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરનું પોતાનું એક અલગ સ્થાન છે. આ ખુબ જ વિશાળ હિન્દુ મંદિર છે. તેને પ્રમ્બાનન ત્રિમૂર્તિ મંદિર પણ કહેવામાં આવે છે. જે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત છે. આ મંદિરને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ડોનેશિયાના આ મંદિરમાં દર્શન માટે માત્ર હિન્દુ તીર્થયાત્રી જ નહીં પણ વિદેશી યાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.

આ મંદિર રામાયણ કાળનું માનવામાં આવે છે, જે શ્રીલંકામાં આવેલું છે. માન્યતા છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરી હતી. મુન્નેશ્વરમ મંદિર પરિસરમાં ઘણા નાના મંદિર આવેલા છે. જેમાં મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી, તેથી તેને રામલિંગમ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પ્રસાદ તરીકે તરબુચ, પપૈયા, નારંગી, કેળા, સફરજન સહિત ઘણા પ્રકારના ફળ ચઢાવવામાં આવે છે.

સનાતન પરંપરામાં ભગવાન શિવના જે 12 જ્યોતિર્લિગની પૂજા કરવામાં આવે છે. તેમાંથી એક નેપાળની રાજધાની કાઢમાંડૂમાં સ્થિત છે. શ્રી પશુપતિનાથના નામથી પ્રસિદ્ધ આ મંદિર કાઢમાંડૂથી 3 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દેવપાટન ગામમાં બાગમતી નદીના કિનારે સ્થિત છે. આ મંદિરને પણ યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દક્ષિણ ભારતથી આવેલા પૂજારી ભગવાન પશુપતિનાથની પૂજા કરે છે.